શું તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે મંડળીની શરૂઆત કેવી રીતે થઇ હતી? શરૂઆતમાં કોઇપણ વ્યક્તિ તેમાં નિપુણ નહોતું. એ જાણીને આશ્ચર્ય થયું? એ સારી વાત છે કે ઈશ્વરની યોજનામાં નિપુણ લોકોની જરૂર નહોતી. ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે. ઈશ્વરે મંડળીની પ્રથમ ચળવળની શરૂઆત કરવા માટે એમ જ કર્યું હતું. અને ઈશ્વર આજે પણ એમ જ કરે છે.

પ્રથમ મંડળીએ જગતમાંના સામાન્ય લોકોને ઈસુ વિશેની વાત બીજા લોકોને કહેવા માટે મોકલ્યા હતા. તે મંડળીએ સામાન્ય લોકોને અધિકારીઓ,સેનાપતિઓ,શાસકો અને રાજાઓની આગળ મોકલ્યા હતા. તે મંડળીએ સામાન્ય લોકોને બીમારોને સાજાં કરવા,ભૂખ્યાંઓને જમાડવા,મૂએલાંઓને જીવતા કરવા અને જગતમાંના દરેક લોકોને ઈશ્વરની આજ્ઞાઓ શીખવવા માટે મોકલ્યા હતા.

પ્રથમ મંડળીએ જગતને બદલવા માટે સામાન્ય લોકોને મોકલ્યા હતા. અને સામાન્ય લોકોએ એ કાર્ય કર્યું હતું.

આ વિડિયો જુઓ

અમારું સ્વપ્ન તો ઈસુએ જે કહ્યું છે તે કરવાનું છે – એટલે કે જગતમાંના સામાન્ય લોકોને નાના સાધનોનો ઉપયોગ કરીને ઈશ્વરના રાજ્યની મોટી અસર ઉપજાવવા માટે મદદરૂપ થવાનું છે!

ઈસુએ તેમના શિષ્યોને જે છેલ્લી સૂચનાઓ આપી હતી તે સરળ હતી. તેમણે કહ્યું કે – આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એ માટે તમે જઇને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; અને મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ; અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.

ઈસુની આજ્ઞા સરળ હતી – શિષ્યો બનાવો.

તે કેવી રીતે કરવું જોઇએ તેના વિશેની ઈસુની સૂચનાઓ સરળ હતી: (1) જ્યાં જાઓ ત્યાં શિષ્યો બનાવો; (2) બાપ, તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપીને તેમને શિષ્ય કરો; (3) ઈસુએ જે જે આજ્ઞાઓ શીખવી તે સર્વ પાળવાનું શિષ્યોને શીખવો.

શિષ્યો બનાવવાના પગલા કયાં છે? (1) હંમેશા શિષ્યો બનાવો – આપણે જ્યાં જઇએ ત્યાં આપણે શિષ્યો બનાવવાના છે. (2) જ્યારે કોઇ ઈસુનું અનુસરણ કરવાનો નિર્ણય લે – ત્યારે તેમને બાપ્તિસ્મા આપવાનું છે. (3) તેઓ વૃદ્ધિ પામે ત્યારે – આપણે દરેક શિષ્યને ઈસુએ જે જે આજ્ઞા કરી છે તે કેવી રીતે પાળવી જોઇએ તે શીખવવાનું છે. ઈસુએ શિષ્યો બનાવવાની આજ્ઞા આપી છે, તેથી તેનો અર્થ એ છે કે ઈસુનું અનુસરણ કરનાર દરેક શિષ્યએ પણ બીજા શિષ્યો કેવી રીતે બનાવવા જોઇએ તે શીખવાની જરૂર છે.

તમારી જાતને પ્રશ્ન પૂછો

  • જો ઈસુએ એવી ઇચ્છા રાખી કે તેમના દરેક અનુયાયી તેમના મહાન આદેશને પાળે તો શા માટે ફક્ત થોડા લોકો જ વાસ્તવમાં શિષ્યો બનાવે છે?
  • ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે તે વિચાર તમે જે શીખ્યા છો અથવા તો કલ્પના કરી છે તેનાથી અલગ છે?
Loading...

ભાષા


English English
العربية Arabic
العربية - الأردن Arabic (Jordanian)
العربية التونسية Arabic (Tunisian)
Armenian Armenian
Sign Language American Sign Language
বাংলা Bengali (India)
भोजपुरी Bhojpuri
Bosanski Bosnian
中文(繁體,香港) Cantonese (Traditional)
中文(简体) Chinese (Simplified)
中文(繁體) Chinese (Traditional)
Hrvatski Croatian
Français French
Deutsch German
ગુજરાતી Gujarati
Hausa Hausa
हिन्दी Hindi
Bahasa Indonesia Indonesian
Italiano Italian
ಕನ್ನಡ Kannada
한국어 Korean
کوردی Kurdish
ພາສາລາວ Lao
𑒧𑒻𑒟𑒱𑒪𑒲 Maithili
മലയാളം Malayalam
मराठी Marathi
नेपाली Nepali
ଓଡ଼ିଆ Oriya
فارسی Persian/Farsi
Polski Polish
Português Portuguese
ਪੰਜਾਬੀ Punjabi
Русский Russian
Română Romanian
Slovenščina Slovenian
Soomaali Somali
Español Spanish
Kiswahili Swahili
தமிழ் Tamil
తెలుగు Telugu
ไทย Thai
Türkçe Turkish
اردو Urdu
Tiếng Việt Vietnamese
Yorùbá Yoruba