ઈશ્વરની વાત બીજાઓને જણાવવાની ઘણી રીતો છે. તેમાંની શ્રેષ્ઠ રીત તો જે વ્યક્તિને તમે તે જણાવી રહ્યા છો તેના પર અને જગત વિશેના તેના દ્રષ્ટિકોણ તથા તેના જીવનના અનુભવો પર આધાર રાખવાની રીત છે. જે વ્યક્તિઓ ઈશ્વરની વાત બીજાઓને જણાવવાની ઇચ્છા રાખે છે તેમના હ્રદયોનો ઉપયોગ જેઓ ઈશ્વરની વાત સાંભળવાની ઇચ્છા રાખે છે તેમના જીવનમાં કામ કરવા માટે કરે છે. 

ઈશ્વરની વાત બીજાઓને જણાવવાની એક રીત તો એ છે કે ઈશ્વરે કરેલા સર્જનથી માંડીને આ જગતના અંતે ઈશ્વર ન્યાય કરશે તેની સમજણ આપવી.

આ વિડિયો જુઓ

ઈશ્વરની વાત : સૃષ્ટિના સર્જનથી ન્યાયની શૈલી

શરૂઆતમાં ઈશ્વરે આખું જગત અને તેમાનું સઘળું બનાવ્યું. ઈશ્વરે પ્રથમ પુરુષ અને પ્રથમ સ્ત્રીને બનાવ્યાં. ઈશ્વરે તેમને એક સુંદર વાડીમાં મૂક્યાં. ઈશ્વરે તેમને પોતાના કુટુંબનો ભાગ બનાવ્યા અને તેમની સાથે નિકટનો સંબંધ રાખ્યો. ઈશ્વરે તેમને એવા બનાવ્યા હતા કે તેઓ સદાકાળ જીવે. તેમનામાં મરણ જેવું કંઇ નહોતું.

પરંતુ આ સંપૂર્ણ સ્થાનમાં પણ માણસે ઈશ્વરની આગળ બળવો કર્યો અને આ જગતમાં તે પાપ અને દુ:ખો લાવ્યો. ઈશ્વરે મનુષ્યને વાડીમાંથી હાંકી કાઢ્યા. મનુષ્ય અને ઈશ્વર સાથેનો સંબંધ તૂટી ગયો હતો. હવે મનુષ્યએ મરણનો સામનો કરવાનો હતો. ઘણા વર્ષો સુધી ઈશ્વર આ જગતમાં સંદેશવાહકોને મોકલતા રહ્યા. તેમણે મનુષ્યોને તેમનાં પાપ યાદ કરાવ્યા અને તેની સાથે-સાથે ઈશ્વરના વિશ્વાસુપણા વિશે પણ વાત કરી અને ઈશ્વર આ જગતમાં એક તારનારને મોકલશે એવું વચન પણ આપ્યું. તે તારનાર ઈશ્વર અને મનુષ્ય વચ્ચે જે સંબંધ ભંગીત થયો હતો તેને પુન:સ્થાપિત કરશે. તારનાર મનુષ્યોને મરણથી બચાવશે. તારનાર મનુષ્યને અનંતજીવન આપશે અને સદાકાળ તેમની સાથે રહેશે.

ઈશ્વર આપણને એટલો બધો પ્રેમ કરે છે, તેથી જ્યારે યોગ્ય સમય આવ્યો ત્યારે તેમણે પોતાના દીકરાને આ જગતમાં તારનાર તરીકે મોકલી દીધો. ઈસુ ઈશ્વરનો દીકરો છે. તે એક કુંવારીના પેટે આ જગતમાં જનમ્યો હતો. તે સંપૂર્ણ જીવન જીવ્યો. તેણે ક્યારેય પાપ કર્યું નહિ. ઈસુએ લોકોને ઈશ્વર વિશે શીખવ્યું. ઈસુએ ઘણા ચમત્કારો કરીને તેમનું મહાન સામર્થ્ય બતાવ્યું. તેણે અશુદ્ધ આત્માઓનેકાઢ્યા. તેણે ઘણા લોકોને સાજાં કર્યાં. તેણે આંધળાઓનેદેખતા કર્યા. તેણે બહેરાઓને સાંભળતા કર્યાં. તેણે લંગડાઓને ચાલતા કર્યા. ઈસુએ મૂએલાંઓને પણ ઉઠાડ્યાં. ઘણા ધાર્મિક આગેવાનોએ ઈસુને ધમકીઓ આપી અને ઈસુની ઇર્ષા કરી. તેઓ ઈસુને મારી નાખવા માગતા હતા. ઈસુએ ક્યારેય પાપ કર્યું નહોતું, તેથી ઈસુએ મરવાની જરૂર નહોતી. પરંતુ ઈસુએ આપણા માટે પોતાની જાતનું બલિદાન કરવાની પસંદગી કરી. ઈસુના દુ:ખદ મરણે માણસજાતના પાપોને ઢાંકી દીધા. ત્યારબાદ ઈસુને કબરમાં મૂકવામાં આવ્યા.

ઈશ્વરે ઈસુએ કરેલા બલિદાનને જોયું અને તેને સ્વીકાર્યું. ઈશ્વરે ત્રીજા દિવસે ઈસુને મૂએલાંમાંથી ઉઠાડીને તેમની સ્વીકૃતિ બતાવી. ઈશ્વરે કહ્યું કે જો આપણે આપણા પાપો માટે ઈસુએ કરેલા બલિદાન પર વિશ્વાસ કરીશું અને તેનો સ્વીકાર કરીશું – જો આપણે આપણા પાપોથી પાછા ફરીને ઈસુનું અનુકરણ કરીશું, તો ઈશ્વર આપણને આપણા સઘળાં પાપોથી શુદ્ધ કરશે અને પોતાના કુટુંબમાં ફરીથી આપણું સ્વાગત કરશે. ઈશ્વરે પોતાના પવિત્ર આત્માને આપણામાં રહેવા માટે અને આપણને ઈસુનું અનુકરણ કરવા બળ આપવા માટે મોકલ્યો છે.

આ પુન:સ્થાપિત થયેલા સંબંધને બતાવવા અને તેના પર મહોર કરવા માટે આપણે પાણીનું બાપ્તિસ્મા લઇએ છીએ. મરણના પ્રતિક તરીકે આપણે પાણીમાં જઇએ છીએ, અને આપણે પાણીમાંથી બહાર આવીએ છીએ ત્યારે નવા જીવનના પ્રતિક તરીકે બહાર આવીએ છીએ. નવા જીવન અને સજીવન થવાના પ્રતિક તરીકે આપણે ઈસુનું અનુસરણ કરવા પાણીમાંથી બહાર આવીએ છીએ. ઈસુ મરણમાંથી સજીવન થયા ત્યાર પછી 40 દિવસ સુધી પૃથ્વી પર રહ્યા હતા. ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે આખા જગતમાં જાઓ અને તેમના તારણની સુવાર્તાની વાત દરેક લોકોને જણાવો.

ઈસુએ કહ્યું કે – જાઓ અને સઘળા દેશોના લોકોને શિષ્યો બનાવો, બાપ, દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; અને મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જગતના અંત સુધી સર્વકાળ હું તમારી સાથે છું.

ત્યારબાદ ઈસુને તેઓના દેખતાં સ્વર્ગમાં લઇ લેવામાં આવ્યા. ઈસુ જે રીતે સ્વર્ગમાં ગયા એ જ રીતે ફરીથી પાછા આવશે. જેઓ ઈસુને પ્રેમ કરતા નથી અને તેમની આજ્ઞા પાળતા નથી તેમને સદાકાળ માટે શિક્ષા કરશે. જેઓ તેમને પ્રેમ કરે છે અને તેમની આજ્ઞા પાળે છે તેમને તે સ્વીકારશે અને પ્રતિફળ આપશે. આપણે નવા આકાશ અને નવી પૃથ્વીમાં સદાકાળ સાથે રહીશું.

ઈસુએ મારા પાપો માટે જે બલિદાન કર્યું છે તેના પર મેં વિશ્વાસ કર્યો છે અને તેનો સ્વીકાર કર્યો છે. ઈસુએ મને શુદ્ધ કર્યો છે અને ઈશ્વરના કુટુંબના ભાગ તરીકે મને પુન:સ્થાપિત કર્યો છે. ઈસુ મને પ્રેમ કરે છે અને હું તેમના પર પ્રેમ રાખું છું અને સદાકાળ તેમના રાજ્યમાં તેમની સાથે રહીશ. ઈશ્વર તમારા પર પ્રેમ રાખે છે,અને એવી ઇચ્છા રાખે છે કે તમે પણ તેમની ભેટને સ્વીકારો. શું તમે અત્યારે જ તે ભેટનો સ્વીકાર કરવા માગો છો?

જ્યાં સુધી સુવાર્તાની આ રજૂઆત કરવા સરળતાનો અનુભવ ન કરો ત્યાં સુધી તેનો મહાવરો કરો.

તમારી જાતને પ્રશ્ન પૂછો

  •     શું તમે યાદ રાખીને આ વાત બીજાઓને કહી શકો છો? દરેક વ્યક્તિ સુવાર્તા જ્યારે સુવાર્તા કહેવાનો મહાવરો કરીને તેમાં સુધારો કરે છે. અત્યારે થોભો અને 4 વાર તેનો મહાવરો કરો.
  •     આ વાતમાંથી તમે માણસજાત માટે શું શીખી શકો છો?
  •     ઈશ્વર વિશે તમે શું શીખી શકો છો?
  •     આ રીતે રજૂઆત કરવા દ્વારા ઈશ્વરની વાત કહેવી સરળ હશે કે કઠિન હશે તે વિશે તમને શું લાગે છે?

 

Loading...

ભાષા


English English
العربية Arabic
العربية - الأردن Arabic (Jordanian)
العربية التونسية Arabic (Tunisian)
Armenian Armenian
Sign Language American Sign Language
বাংলা Bengali (India)
भोजपुरी Bhojpuri
Bosanski Bosnian
中文(繁體,香港) Cantonese (Traditional)
中文(简体) Chinese (Simplified)
中文(繁體) Chinese (Traditional)
Hrvatski Croatian
Français French
Deutsch German
ગુજરાતી Gujarati
Hausa Hausa
हिन्दी Hindi
Bahasa Indonesia Indonesian
Italiano Italian
ಕನ್ನಡ Kannada
한국어 Korean
کوردی Kurdish
ພາສາລາວ Lao
𑒧𑒻𑒟𑒱𑒪𑒲 Maithili
മലയാളം Malayalam
मराठी Marathi
नेपाली Nepali
ଓଡ଼ିଆ Oriya
فارسی Persian/Farsi
Polski Polish
Português Portuguese
ਪੰਜਾਬੀ Punjabi
Русский Russian
Română Romanian
Slovenščina Slovenian
Soomaali Somali
Español Spanish
Kiswahili Swahili
தமிழ் Tamil
తెలుగు Telugu
ไทย Thai
Türkçe Turkish
اردو Urdu
Tiếng Việt Vietnamese
Yorùbá Yoruba