ઈશ્વર આપણને તેમના રાજ્યની અર્થવ્યવસ્થા એવી રીતે બતાવે છે કે આપણે જે પ્રાપ્ત કરીએ છીએ તેના દ્વારા નહિ, પણ આપણે જે આપીએ છીએ તેના દ્વારા આપણને પ્રતિફળ મળે છે.

જ્યારે આપણે આધીન થવામાં અને ઈશ્વરે આપણને જે જણાવ્યું છે તે બીજાઓને જણાવવામાં વિશ્વાસુ રહીએ છીએ, ત્યારે ઈશ્વર બીજા વધારે લોકોને જણાવવાનું વચન આપે છે.

ઈસુએ કહ્યું કે – જે થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે તેને ઘણા પર ઠરાવવામાં આવશે. આ તો ગહન આંતરસૂઝ, ગાઢ સંબંધ અને ઈશ્વરે આપણને જે ભરપૂર જીવન જીવવા માટે તેડ્યા છે તેનો માર્ગ છે. આ એ જ માર્ગ છે જેમાં આપણે ઈશ્વરે આપણા માટે અગાઉથી જે સારાં કામોની યોજના કરી છે તે કામો કરવાના માર્ગ પર આગળ વધી શકીએ છીએ.

આ વિડિયો જુઓ

રાજ્યની અર્થવ્યવસ્થામાં આપણે જે આપીએ છીએ તેનાથી આપણને નફો થાય છે. આ તો આત્મિક શ્વાસોચ્છવાસનો પાયો છે . જ્યારે આપણે આધીન થવા માટે વિશ્વાસુ રહીએ છીએ અને ઈશ્વરે આપણી સાથે જે વાત કરી છે તે બીજાઓને જણાવીએ છીએ, ત્યારે ઈશ્વર આપણી સાથે વધારે સ્પષ્ટ અને પૂર્ણ રીતે વાત કરે છે. આ માર્ગ તો ઈશ્વર સાથે ગહન આંતરસૂઝ, ગાઢ સંબંધ અને તેમણે આપણા માટે જે ભરપૂર જીવનનો ઇરાદો રાખ્યો છે એવું જીવન જીવવાનો માર્ગ છે. આ રીતે આપણે એ સારા કામો કરી શકીએ છીએ જેના માટે ઈશ્વરે અગાઉથી આપણા માટે એવી યોજના કરી છે કે આપણે એ કામો કરીએ.

તેનો અર્થ એ છે કે ખ્રિસ્તના શરીરમાં (મંડળીમાં) આપણે એકબીજા માટે જે કરીએ છીએ એ તો વ્યવહારુ બેવડી જવાબદારી છે. એટલે કે આધીન થવાની અને ઈશ્વર આપણને જે પ્રગટ કરે છે તેને બીજાઓને જણાવવાની, તે પ્રમાણે કાર્ય કરવાની, અને શીખવવાની, તથા તેનો મહાવરો કરવાની અને બીજાઓને તેના વિશે જણાવવાની જવાબદારી છે.

રાજ્યની અર્થવ્યવસ્થા દ્વારા જીવવું તે શિષ્ય હોવાનો એક મહત્વનો ભાગ છે. આપણે આશીર્વાદરૂપ થવા માટે આશીર્વાદિત થયા છીએ. આપણે અનુયાયીઓ અને આગેવાનો છીએ. આપણે શીખનારા અને શિક્ષકો છીએ. આવી રીતે આપણે ઈશ્વરની આગેવાનીના શ્રેષ્ઠ કારભારી બની શકીએ છીએ. આપણે રાજ્યમાં પ્રવેશ કરીએ કે તરત જ આ પ્રક્રિયા શરૂ થવી જોઇએ. આ રીતે સેવા કરવાની શરૂઆત કરવા માટે આપણે “પરિપક્વ” થઇએ ત્યાં સુધી આપણે રાહ જોવાની જ નથી. પરંતુ તેને બદલે આપણે આ રીતે સેવા કરીને પરિપક્વ થવાનું છે.આપણે આવી રીતે ઈશ્વરનું સાંભળવા દ્વારા શ્વાસ લઇએ, અને આપણે જે સાંભળીએ છીએ તેને આધીન થવા દ્વારા અને બીજાઓને જણાવવા દ્વારા ઉચ્છવાસ બહાર કાઢીએ.

તમારી જાતને પ્રશ્ન પૂછો

  •     ઈશ્વરની આત્મિક અર્થવ્યવસ્થા અને કાર્યો કરવાની આપણી જગીક રીત વચ્ચે કયા તફાવતો છે?
Loading...

ભાષા


English English
العربية Arabic
العربية - الأردن Arabic (Jordanian)
العربية التونسية Arabic (Tunisian)
Armenian Armenian
Sign Language American Sign Language
বাংলা Bengali (India)
भोजपुरी Bhojpuri
Bosanski Bosnian
中文(繁體,香港) Cantonese (Traditional)
中文(简体) Chinese (Simplified)
中文(繁體) Chinese (Traditional)
Hrvatski Croatian
Français French
Deutsch German
ગુજરાતી Gujarati
Hausa Hausa
हिन्दी Hindi
Bahasa Indonesia Indonesian
Italiano Italian
ಕನ್ನಡ Kannada
한국어 Korean
کوردی Kurdish
ພາສາລາວ Lao
𑒧𑒻𑒟𑒱𑒪𑒲 Maithili
മലയാളം Malayalam
मराठी Marathi
नेपाली Nepali
ଓଡ଼ିଆ Oriya
فارسی Persian/Farsi
Polski Polish
Português Portuguese
ਪੰਜਾਬੀ Punjabi
Русский Russian
Română Romanian
Slovenščina Slovenian
Soomaali Somali
Español Spanish
Kiswahili Swahili
தமிழ் Tamil
తెలుగు Telugu
ไทย Thai
Türkçe Turkish
اردو Urdu
Tiếng Việt Vietnamese
Yorùbá Yoruba