પ્રભુભોજન અને કેવી રીતે તેમાં આગેવાની આપવી
This concept is called "પ્રભુભોજન અને કેવી રીતે તેમાં આગેવાની આપવી" in session 4 of the Zúme Trainingઈસુએ કહ્યું કે, - “આકાશથી આવેલી જીવતી રોટલી હું છું. જે આ રોટલી ખાય છે તે સદા જીવશે. આ રોટલી મારું માંસ છે, જેને હું આ જગતના જીવનને સારુ આપીશ.”
પ્રભુભોજન અથવા તો “પ્રભુનું ભોજન” તો ઈસુ સાથેના આપણા ગાઢ જોડાણ અને ચાલુ સંબંધની ઉજવણી કરવાની રીત છે.
તેની ઉજવણી કરવાની સરળ રીત આ છે!
જ્યારે ઈસુના અનુયાયીઓ તરીકે તમે એકઠા થાઓ, ત્યારે શાંત મનનમાં સમય ગાળો, મનમાં તમારા પાપોની કબૂલાત કરો, અને જ્યારે તમે તૈયાર થાઓ ત્યારે આ શાસ્ત્રભાગવાંચો -
“કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું, એટલે, જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યો, તે રાતે તેણે રોટલી લીધી; અને સ્તુતિ કરીને ભાંગી, અને કહ્યું કે, એ મારું શરીર છે, એને તમારે સારુ ભાંગવામાં આવ્યું છે; મારી યાદગીરીને સારુ એ કરો.” 1 કરિંથીઓને પત્ર 11:23-24
તમે જે રોટલી મૂકી છે તે જૂથમાં આપો અને ખાઓ. પછી આ શાસ્ત્રભાગ આગળ વાંચો–
“એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેણે પ્યાલો લીધો, અને કહ્યું કે, આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે; તમે જેટલી વાર એમાંનું પીઓ છો,તેટલી વાર મારી યાદગીરીને સારુ તે કરો.”1 કરિંથીઓને પત્ર 11:25
ત્યારબાદ જૂથ માટે તમે જે દ્રાક્ષારસ રાખ્યો છે તે વહેંચો અને પીઓ.
પછી આ શાસ્ત્રવચન વાંચો: “કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો, અને આ પ્યાલો પીઓ છો,તેટલી વાર તમે પ્રભુના આવતાં સુધી તેનું મરણ પ્રગટ કરો છો.” 1 કરિંથીઓને પત્ર 11:26
પ્રાર્થના કે સ્તુતિગીત સાથે ઉજવણી કરો.
તમે પ્રભુભોજન લીધું છે. તમે પ્રભુના છો અને પ્રભુ તમારા છે!
તમારી જાતને પ્રશ્ન પૂછો
- પ્રભુભોજન લેવા માટે શું જરૂરી છે અને શું જરૂરી નથી તેના વિશે બાઇબલ શું કહે છે?